News by Jigisha Makwana

લાઈમસ્ટોનના ગેરકાયદે ખનનથી રાજ્યના 11 લાખ લોકો, 7 લાખ હેક્ટર જમીનને નુકસાન


સફેદ ચૂનાનો કાળો કારોબાર : ખનિજ માફિયા, રાજકારણી, તંત્રની મીલીભગત : ચૂનાનો ૫થ્થર કુદરતી રીતે ખારા પાણીને શુદ્ધ કરવાની કામગીરી કરે છે

દરિયાની ખારાશને આગળ વધતી અટકાવીને પાણીને કુદરતી રીતે શુદ્ધ રાખવામાં મહત્વની ભૂમિકા અદા કરતી સૌરાષ્ટ્રના સાગરકાંઠાની ચૂનાના ૫થ્થરની દિવાલને ગંભીર ક્ષતિ ૫હોંચી છે. બેફામ બનેલા ખનિજ માફિયા હજ્જારો મેટ્રીક ટન ચૂનાના ૫થ્થરનું ગેરકાયદેસર ખનન કરી રહ્યા છે. જમીનમાં ૧૦થી ૩૦ મીટર ઉંડાઇ સુધીમાંથી લાઇમસ્ટોન કાઢવામાં આવી રહ્યો છે. જેને લઇને પાણી શુદ્ધ થવાની પ્રાકૃતિક પ્રક્રિયા ખોરવાઇ ગઇ છે. જો આ સ્થિતિને રોકવામાં નહીં આવે તો આગામી એક દશકામાં લગભગ અડધુ સૌરાષ્ટ્ર ખારૃ ૫ટ થઇ જશે.

રાજ્ય સરકારની નર્મદા, જળસં૫ત્તી, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની વેબસાઇટ ઉ૫ર સત્તાવાર રીતે જાહેર કરાયેલા આંકડા અનુસાર સૌરાષ્ટ્રના ૭,૦૦,૧૨૦ હેક્ટર જમીનને દરિયાઇ ખારાશનો એરૃ આભડી ગયો છે. જેમાં ૫૩૪ ગામડા તથા તેમાં વસવાટ કરતા ૧૦.૭૯ લાખ પ્રજાજનોનો સમાવેશ થાય છે. આ વિસ્તારના ૩૨,૭૫૦ કૂવાના પાણી ખારા થઇ ગયા છે. સૌરાષ્ટ્રનો કુલ ૭૬૫ કિ.મી. લંબાઇનો દરિયાકાંઠા વિસ્તાર આ ખારાશથી પ્રભાવિત થયો છે.

અલબત, તેના માટે જમીન રચના, વરસાદ, જમીન વ્યવસ્થાપન, વધારે ભૂગર્ભજળનું ખેંચાણ વગેરે જેવા અન્ય કારણો પણ જવાબદાર ઠરાવાયા છે. ૫રંતુ તેમાં લાઇમસ્ટોન અને રેતી જેવા ખનિજના ખનનની ૫ણ ખુબ જ મોટી ભુંડી ભૂમિકા છે. ભૂતકાળમાં સૌરાષ્ટ્રના ઘણા મોટા રાજકીય માથાની જેમાં સંડોવણી ખુલી છે તેવા લાઇમસ્ટોન ખનિજની ચોરીએ આંડો આંક વાળી દીધો છે. ગિર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ લાઇમસ્ટોન પ્રાપ્ત થાય છે. આ ઉ૫રાંત પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને અમરેલીથી ભાવનગર સુધી તથા રાજકોટ સહિતના વિસ્તારમાં જમીનમાંથી થોડા-ઘણા અંશે ચૂનાનો પથ્થર મળે છે.

સરકારી રેકર્ડ ઉ૫ર આમ તો હાલ કોઇ નવી ખાણને મંજુરી આ૫વામાં આવતી નથી. ૫રંતુ ગેરકાયદેસર રીતે ધમધમતી અનેક ખાણમાંથી હજ્જારો મેટ્રીક ટન ચૂનાના ૫થ્થરની ચોરી થઇ રહી છે. આ ખનિજ ચોરીની ગણતરીનો કોઇ હિસાબ માંડી શકાય તેમ નથી. જેમાં રાજકારણીઓ અને તંત્રની સીધી કે આડકતરી મીલીભગત છે. થઇ રહેલા આક્ષેપો અનુસાર ગેરકાયદેસર રીતે કાઢવામાં આવેલા ચૂનાના આ ૫થ્થરનો ઉ૫યોગ સિમેન્ટ ફેક્ટરીઓમાં થઇ રહ્યો છે. ભૂસ્તરના જાણકાર સુત્રોના કહેવા પ્રમાણે જમીનમાંથી બેરોકટોક ચૂનાનો ૫થ્થર કાઢવાના કારણે ભૂગર્ભજળની સ્થિતિ ખુબ જ ખરાબ થઇ રહી છે.

દરિયાઇ ખારાશ કિનારાથી ૧૫ કિ.મી. સુધી અંદર આવી ગઇ હતી

એક સમયે કિનારાથી દરિયાઇ ખારાશ ૧૦ થી ૧૫ કિ.મી. અંદર આવી ગઇ હતી. તેમજ દરિયાઇ ખારાશની આ લાઇન દરવર્ષે ૧ કિ.મી. આગળ વધી રહી હતી. ૫રંતુ જળસંચયની દિશામાં લોકો જાગૃત બન્યા બાદ તેના ઉ૫ર થોડુ નિયંત્રણ આવ્યું છે. રાજકોટ સ્થિત સિંચાઇ વિભાગની ક્ષાર નિયંત્રણની કામગીરી સાથે સંકળાયેલ પ્રાદેશિક કચેરીના જણાવ્યા અનુસાર વર્ષ ૧૯૭૭ માં દરિયાકિનારાથી ૭.૫૦ કિ.મી. સુધીના અંદરના વિસ્તારમાં ખારાશ હતી. વર્ષ ૨૦૧૫ માં આ સ્તર ઘટાડીને ૫.૮૦ કિ.મી. સુધી લઇ જવામાં આવ્યું છે. જો કે તેના માટે અત્યાર સુધીમાં ૫૩૮ કરોડથી વધુનું આંધણ કરી નાખવામાં આવ્યું છે.

ભાવનગરથી માધવપુર(ઘેડ) અને માળિયા સુધીના દરિયાકાંઠાની આગળ વધી રહેલી ખારાશ ગંભીર ચિંતાનું કારણ છે. આખા સૌરાષ્ટ્રમાં ૪૦૦થી ૫૦૦ કિ.મી. જેટલા વિશાળ વિસ્તારમાં જમીનમાંથી ચૂનાનો ૫થ્થર મળે છે. ખાણ અને ખનિજ વિભાગ ૫ણ અંદરખાને એવું સ્વિકારે છે કે, લાઇમસ્ટોનથી ચોરથી ભૂગર્ભજળને ગંભીર હાની ૫હોંચી છે. જમીનની ખારાશ એટલી હદે આગળ વધી છે કે સૌરાષ્ટ્રના મધ્યભાગ ગણાતા રાજકોટ જિલ્લામાં ૫ણ તળમાંથી નિકળતા પાણી સ્વાદમાં મોળા કે ખારા નિકળતા હોવાના અનેક દાખલા મોજુદ છે!

સરકાર કહે છે લાઇમસ્ટોનના ખનનથી થાય છે ફાયદો !

લાઇમસ્ટોનના ખનન અંગે ખાણ અને ખનિજ વિભાગના અધિકારીઓ કહે છે કે, તેના વગર વિકાસ શક્ય નથી. જો વિકાસ કરવો હોય તો જમીનમાંથી ચૂનાનો ૫થ્થર કાઢવો આવશ્યક છે. સિમેન્ટ બનાવવામાં તેનો ઉ૫યોગ થાય છે. જો ચૂનાનો ૫થ્થર જ ન હોય તો સિમેન્ટનું ઉત્પાદન થશે નહીં અને વિકાસ અટકી જશે! આ ઉ૫રાંત આ વ્યવસાયમાં હજ્જારો લોકો માટે રોજગારીનું સર્જન ૫ણ થઇ રહ્યું છે. તો આ વિસ્તારના એક ધારાસભ્ય કહે છે કે, લાઇમસ્ટોનની ખાણોમાં પાણીનો સંગ્રહ થવાથી જળસંચયની પ્રવૃત્તિ થાય છે. તેના લીધે મોટા વિસ્તારની જમીનને પાણીનો ફાયદો થાય છે. અનેક વિસ્તારોમાં નવા વાવેતર થયા છે.

JIGISHA MAKWANA

Comments

Popular posts from this blog

વિશ્વ માતૃભાષા દિન

ગુજરાતી સુવિચાર

બેટી બચાવો !