Gujarati News

ગાંધીનગર: પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી ખાતે ત્રિ-દિવસીય પરિસંવાદ યોજાયો


ગાંઘીનગરની પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી ખાતે આજે ત્રિ દિવસીય પરિસંવાદ યોજાયો હતો. જેમાં પ્રદૂષણ મુક્ત વીજ ઉત્પાદન થઇ શકે તે માટે માહિતી આપવામાં આવી હતી.


દેશની પ્રજા સોલાર પદ્ધતિનો ઉપયોગ કરે તો પ્રદૂષણમાં ઘટાડો થઇ શકે તેમ છે. પરિસંવાદમાં બેક અપ પાવરની મદદથી વીજ ઉત્પાદન કેવી રીતે થઇ શકે તે વાત પર ભાર મુકાયો હતો. ખેડૂતો વીજ તેમજ પાણી વપરાશ માટે સોલાર પાવરની બેક અપ બેટરીનો કેવી રીતે ઉપયોગ કરી શકે તે જણાવવામાં આવ્યું હતુ. પરિસંવાદમાં 17 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને તેઓ પાવર બેંક પર સંવાદ કરીને પોતાના રિસર્ચ પેપર રજૂ કરશે.

Jigisha Makwana

Comments

Popular posts from this blog

વિશ્વ માતૃભાષા દિન

ગુજરાતી સુવિચાર

બેટી બચાવો !