Posts

International women's Day

Image
08 March as an international women's day Theme : Protests across the world as women press for progress. સયુંક્ત રાષ્ટ્રસંઘ , ( યુનો ) દ્વારા સમગ્ર  વિશ્વમાં   આંતરરાષ્ટ્રીય મહિલા દિન  દર વર્ષે  ૮મી માર્ચના  દિવસે મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે  નારીના  ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે. સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં  શિક્ષણનો  વ્યાપ વધે તેમ જ તેઓ  કુરિવાજો  તથા  રૂઢિઓમાંથી બહાર આવે તે માટેનું આયોજન કરવામાં આવે છે. વર્તમાન સમયમાં પણ ત્રીજા  વિશ્વના  દેશોમાં  સ્ત્રી સાક્ષરતાનો  દર ઘણો નીચો છે. જો કે મહિલાઓમાં જાગૃતિ પણ એટલા જ પ્રમાણમાં દેખાય રહી છે. આજે  વિજ્ઞાન ,  ટેકનોલોજી  સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. આમ છતાં  ભારત  દેશ અને એમાં  ગુજરાત  રાજ્યમાં પણ સરકાર  કન્યા કેળવણી અભિયાન ,  બેટી બચાવો અભિયાન ,  સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ  જેવા પ્રયાસ આદ...

News by Jigisha Makwana

Image
ચીનને ચેતવણી આપવા 42 વર્ષ પછી અમેરિકી એરક્રાફ્ટ વિયેતનામ પહોંચ્યું વિયેતનામ યુદ્ધ પછી પહેલીવાર અમેરિકી એરક્રાફ્ટ વિયેતનામ પહોંચ્યા થી આખી દુનિયા ચોકી ગયી છે. વિયેતનામ માં અમેરિકી એરક્રાફ્ટ પહોંચવા થી યુએસ અને ચીનના સંબંધમાં ફરી એકવાર તીખાશ આવી છે. આ યાત્રાને બે પૂર્વ દુશ્મન રાષ્ટ્રો વચ્ચે ઉભરી રહેલી દોસ્તીને મજબૂત કરવાની તક માની શકાય છે. વિયેતનામ ડા નેંગ શહેરમાં યુએસ કાર્લ વિન્સન પોતાના 5500 નેવી સૈનિક બે અન્ય જહાજ સાથે 5 દિવસની યાત્રા પર પહોંચ્યા છે. વિયેતનામ યુદ્ધ પછી પહેલીવાર અમેરિકા એ પહેલીવાર પોતાનું એરક્રાફ્ટ વિયેતનામ મોકલ્યું છે. જેના કારણે સાઉથ ચીન સી માં ચાલી રહ્યા વિવાદનું મૂળ ચીન નારાજ છે. પરંતુ હજુ સુધી આ એરક્રાફ્ટ માટે ચીન તરફથી કોઈ પણ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ત્યાં જ વિયેતનામ વિદેશ મંત્રાલય ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ એરક્રાફ્ટનો ઉદેશ વિસ્તારમાં શાંતિ, સુરક્ષા, સ્થિરતા, વિકાસ અને સહયોગ કરવાનો છે. આ પહેલા સાઉથ ચાઈના સી માં અમેરિકી શિપ જોતા ચીન તેના પર આપત્તિ દર્શાવી ચૂક્યું છે. સાઉથ ચાઈના સી માં ઘણી વાર અમેરિકી અને ચીન શિપ સામસામે આવી ચુક્યા છે. ચીન લાંબા ...

News by Jigisha Makwana

Image
પાલનપુર તાલુકા પંચાયતમાં ઢીશૂમ.. ઢીશૂમ.. : તલાટીને માર મારતા સારવાર અર્થે ખસેડાયો પાલનપુર તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા લીવ રીઝર્વ તલાટીને ટપાલ લઈ જવા આ જ કચેરીમાં તેમની બાજુના ટેબલ પર બેસતા કર્મચારીએ તકરાર કરી બાજુમાં પડેલ લાકડાનું ટેબલ ઉપાડી માથામાં મારી ગંભીર ઈજા કરતા સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે હવે સમગ્ર મામલો પોલીસ થાણે પહોંચ્યો છે. ઉપરોક્ત બનાવ સંદર્ભે ઈજાગ્રસ્તના જણાવ્યા અનુસાર પાલનપુર તાલુકા પંચાયતમાં લીવ રીઝર્વ તલાટી તરીકે ફરજ બજાવતા રમેશભાઈ હરીભાઈ ચૌધરી આજે બપોરના સુમારે તાલુકા પંચાયતમાં પોતાના ટેબલ પર બેસી કામ કરી રહ્યા હતા તે વખતે તેમની જ કચેરીમાં તેમની બાજુના ટેબલ પર બેસતા કર્મચારી હિતેશ ચૌધરી નામના ઈસમ આવતા તેમની ટપાલ આવી હોવાનું કહેતા બન્ને વચ્ચે તકરાર થતા મામલો બિચક્યો હતો અને લીવ રીઝર્વ તલાટી રમેશભાઈ ચૌધરીને આ શખ્સે બાજુમાં પડેલ લાકડાનું ટેબલ માથામાં મારતા તેઓને ગંભીર ઈજા થઈ હતી. બનાવને પગલે તાલુકા પંચાયત કચેરીમાં ટોળા એકઠા થઈ ગયા હતા અને ઘટનાસ્થળે હાજર તલાટી રમેશભાઈના સગા ગોવિંદભાઈ પટેલે તેઓને સારવાર અર્થે ...

National science day by Jigisha Makwana

Image
                         રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ભારતના સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડૉ.સી.વી.રામને “ રામન પ્રભાવ “ એટલે કે રામન ઈફેક્ટની શોધ તા. ૨૮ ફેબ્રુઆરી ૧૯૨૮ના રોજ કરી હતી અને પરિણામો મેળવ્યા હતા. આ તેમણે ઈ.સ. ૧૯૩૦માં નોબલ પારિતોષિક એનાયત થયું. ભારતમાં સૌપ્રથમ વિજ્ઞાનક્ષેત્રે ૧૯૬૪માં નોબલ પારિતોષિક મેળવનાર પ્રથમ વિજ્ઞાની હતા. ડૉ.સી. વી. રામનનું જીવન સાદગીપૂર્ણ અને સરળ હતું. સર સી.વી.રામને શોધી કાઢ્યું કે પ્રકાશનું કિરણ સાત રંગનું બનેલું છે. આ સંશોધનને એમણે ‘ રામન પ્રભાવ’  નામ આપ્યું. તેમના કહેવાનુસાર “ પ્રકાશના કિરણોનું નિયમિત પરાવર્તન થઈ તો પ્રકાશની તરંગલંબાઈમાં ફેરફાર થતો નથી. પરંતુ જો એનું અનિયમિત પરાવર્તન થાય તો પ્રકાશની તરંગલંબાઈમાં ફેરફાર માલૂમ પડે છે.”નો શોધ માટે તેમણે બનાવેલ સાધનનો ખર્ચ માત્ર રૂપિયા ૨૦૦/- થયો હતો. પરંતુ તેના દ્વારા વિજ્ઞાનની એક નવી દિશા ખુલી. આ રમણ પ્રભાવનો ઉપયોગ વિવિધ પદાર્થોના આતરિક બંધારણ જાણવામાં થાય છે. સમગ્ર વિશ્વમાં આ શોધ દ્વારા ગૌરવ પ્રાપ્ત થયું હતું. અને તેની જાહેરાત સૌપ્રથમ ૨૮ ફ...

બેટી બચાવો !

Image
બેટી બચાવો વિશે મારા થોડાક શબ્દો આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરું છું આ બ્લોગ પર જો આપ સૌ મિત્રોને મારી પોસ્ટ સારી લાગે તો જરૂર શેર કરજો.. ઘણાં પ્રાણીઓ પૃથ્વી પરથી લુપ્ત થઇ ગયા છે. તેમની જાત લુપ્ત થઇ ગઈ છે. આપણે ડાઈનોસોર જેવાં પ્રાણીઓના માત્ર નામો સાંભળેલા છે અથવા તો ચિત્રો જ જોયાં છે. પરંતુ ક્યારેય એ વિચાર્યું છે કે માનવજાત લુપ્ત થઇ જાય તો? આપણું અસ્તિત્વ જ ન રહે તો? આ ગંભીર પ્રશ્ન આપણી સામે આવ્યો છે. તેવી પરિસ્થિતિ આપણે જ ઊભી કરી છે. શું આપણે એ નથી જાણતા કે માનવ જીવન માત્ર એક ‘માતા’ જ આપી શકે? અને માતા કોઈ અન્ય માતાની ‘પુત્રી’ જ હોય છે એ પણ આપણે જાણીએ જ છીએ છતાં એની ભૃણ હત્યા કરીને આપણે આપણો જ વિનાશ નોતરી રહ્યાં છીએ. આ ગંભીર વાત છે અને તેની ગંભીરતા સમજવી બહુ જ જરૂરી છે. એકમાત્ર માણસને જ મળેલી બુદ્ધિની બક્ષીસથી માણસ આધુનિક બન્યો, શિક્ષિત બન્યો. તેણે સમાજનું સર્જન કર્યું. પણ એ સમાજ સ્ત્રી-પુરુષના સ્થાન વિષે પહેલેથી જ અવઢવમાં રહ્યો છે. કુદરતી ફરક સિવાય સ્ત્રી અને પુરુષમાં કોઈ ભેદ શા માટે ઊભો કરવામાં આવે છે તે ન સમજાય તેવી વાત છે. તેને માટે ચર્ચા, વિરોધ, લડાઈ-ઝઘડા ચાલ્યા જ કરે છે. સમાજ...

News by Jigisha Makwana

Image
PM મોદી પહોંચ્યા સુરત, રન ફોર ન્યૂ ઇન્ડિયા મેરેથોન દોડનું કરાવશે ફ્લેગ ઓફ સુરતઃ આજે રન ફોર ન્યૂ ઇન્ડિયા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી ન્યૂ ઇન્ડિયા સંકલ્પ મેરેથોન દોડને ફ્લેગ ઓફ કરાવવા પહોંચ્યા છે. મહત્વનું છે કે પીએમ મોદી વિશેષ વિમાન મારફતે સુરત એરપોર્ટ પહોંચ્યા હતા. પીએમ એરપોર્ટ પર 15 મિનિટ રોકાયા હતા. પીએમ મોદીનું સીએમ વિજય રૂપાણી અને ડે.સીએમ નીતિન પટેલે સ્વાગત કર્યું હતું. પીએમના આગમનને લઇ સુરતીઓમાં ઉત્સાહ છવાયો. પીએમ મોદીએ રોડ શો કર્યો હતો. જે દરમિયાન રસ્તાની બંન્ને બાજુએ લોકોની કતારો લાગી હતી. પીએમ મોદી સુરત એરપોર્ટથી લાલભાઇ સ્ટેડિયમ જવા રવાના થયા હતા. પીએમ મોદીએ એરપોર્ટ બહાર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. JIGISHA MAKWANA

મારું અસ્તિત્વ

Image
                              મારું અસ્તિત્વ   મારા જીવનની કહાની તો બહુ લાંબી છે છતાં થોડું ટૂંકમાં કહી દઉં. મારું નામ રાજન. હું બાર વર્ષનો થયો ત્યારે થોડું સમજતો થયો હતો ત્યાં સુધી તો હું ખુશ જ રહેતો પણ બાર વર્ષની ઉમરે મને મારા અસ્તિત્વની સમજ આવી. મને ખ્યાલ આવ્યો કે હું એક અનાથ છું! અનાથ એટલે જેનું કોઈ ન હોય! નરી એકલતા, ભીડની વચાળ પોતાની જાતને એકલી પામવી! આમતો મને ઘણા મિત્રો મળ્યા હતા. એક સામાન્ય બાળકને જેટલા મિત્રો મળે એનાથી વધારે મિત્રો મને બાળપણમાં મળ્યા હતા. કેમ ન મળે? અનાથ આશ્રમમાં મારી ઉમરના હજારો બાળકો હતા. કોઈ નાજાયજ ઓલાદ હતી એટલે અનાથ હતું તો કોઈના માં બાપ મારી જેમ અકસ્માતમાં ગુજરી ગયા હતા એટલે અહી આવી ગયા હતા.! ટૂંકમાં બસ આધાર વગરના મારા જેવા ઘણા બદનસીબ આશ્રમમાં ભેગા થયા હતા! આમ તો મારી સાથે રમવા માટે ઘણા મિત્રો હતા પણ મને રમવામાં રસ હતો જ નહિ! અનાથ આશ્રમનું ખાવાનું પીવાનું, રહેવાનું, ભદ્દી મેડમ અને ગંદા વાહિયાત માણસોના સંચાલનમાં મને ગુંગળામણ થતી. મને એકને જ નહિ બીજા ઘણાયને એવું થતું પણ એ ...

News by Jigisha Makwana

Image
લાઈમસ્ટોનના ગેરકાયદે ખનનથી રાજ્યના 11 લાખ લોકો, 7 લાખ હેક્ટર જમીનને નુકસાન સફેદ ચૂનાનો કાળો કારોબાર : ખનિજ માફિયા, રાજકારણી, તંત્રની મીલીભગત : ચૂનાનો ૫થ્થર કુદરતી રીતે ખારા પાણીને શુદ્ધ કરવાની કામગીરી કરે છે દરિયાની ખારાશને આગળ વધતી અટકાવીને પાણીને કુદરતી રીતે શુદ્ધ રાખવામાં મહત્વની ભૂમિકા અદા કરતી સૌરાષ્ટ્રના સાગરકાંઠાની ચૂનાના ૫થ્થરની દિવાલને ગંભીર ક્ષતિ ૫હોંચી છે. બેફામ બનેલા ખનિજ માફિયા હજ્જારો મેટ્રીક ટન ચૂનાના ૫થ્થરનું ગેરકાયદેસર ખનન કરી રહ્યા છે. જમીનમાં ૧૦થી ૩૦ મીટર ઉંડાઇ સુધીમાંથી લાઇમસ્ટોન કાઢવામાં આવી રહ્યો છે. જેને લઇને પાણી શુદ્ધ થવાની પ્રાકૃતિક પ્રક્રિયા ખોરવાઇ ગઇ છે. જો આ સ્થિતિને રોકવામાં નહીં આવે તો આગામી એક દશકામાં લગભગ અડધુ સૌરાષ્ટ્ર ખારૃ ૫ટ થઇ જશે. રાજ્ય સરકારની નર્મદા, જળસં૫ત્તી, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગની વેબસાઇટ ઉ૫ર સત્તાવાર રીતે જાહેર કરાયેલા આંકડા અનુસાર સૌરાષ્ટ્રના ૭,૦૦,૧૨૦ હેક્ટર જમીનને દરિયાઇ ખારાશનો એરૃ આભડી ગયો છે. જેમાં ૫૩૪ ગામડા તથા તેમાં વસવાટ કરતા ૧૦.૭૯ લાખ પ્રજાજનોનો સમાવેશ થાય છે. આ વિસ્તારના ૩૨,૭૫૦ કૂવાના પાણી ખારા થઇ ગયા છે. સૌરાષ્ટ્ર...

વિશ્વ માતૃભાષા દિન

Image
વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે આખો લેખ અચૂક વાંચો…ઘણું ઘણું શીખવા મળશે અને જાણવા મળશે…ગમશે જ એની ગેરેંટી….! ભારત અને ઈઝરાયલ પાસે-પાસેના સમયગાળામાં આઝાદ થયા. ઈઝરાયલનો 4000 વર્ષનો ગુલામીકાળ પસાર થઈ ગયો જ્યારે ભારત 1000 વર્ષ ગુલામ રહ્યું. આઝાદ ભારતનાં પ્રથમ વડાપ્રધાન નહેરુ તેમજ ઈઝરાયલનાં રાષ્ટ્રપ્રમુખ ભારતમાં મળ્યા. નહેરુએ પ્રમુખને કહ્યું, “ભારત ઈઝરાયલની મૈત્રી ઈચ્છે છે. આપને ભારત શું મદદ કરી શકે?” પ્રમુખે ખુમારીભર્યો પ્રત્યુત્તર પાઠવ્યો, “ઈઝરાયલને ભારતની કોઈ મદદની જરુર નથી, અમે સ્વનિર્ભર છીએ. શક્ય હોય તો ભારત એક દિવસનો વરસાદ અમને મોકલી આપે.” પ્રમુખને પૂછવામાં આવ્યું, “આપની રાષ્ટ્રભાષા તેમજ શિક્ષણનું માધ્યમ કઈ ભાષા રહેશે?” “ચોક્કસ જ હિબ્રુ ભાષા! આ તે કાંઈ પ્રશ્ન છે?”-પ્રમુખે ઉચ્ચાર્યું. “પરંતુ વિશ્વનું તમામ જ્ઞાન અંગ્રેજી ભાષામાં છે, હિબ્રુ ભાષામાં એક પણ ગ્રંથ તૈયાર નથી, તેનું શું?” વાચક મિત્ર, આપને જાણીને મહદાશ્ચર્ય થશે કે આઝાદ ઈઝરાયલમાં સાત વર્ષ સુધી શિક્ષણકાર્ય શરુ થયું ન હતું. ઈઝરાયલના તમામ વિદ્વાનોએ એક પણ પૈસો લીધા વિના દિવસના વીસ-વીસ કલાક કામ કરીને વિશ્વભરના અંગ્રેજી ગ્રંથોનું હ...

News by Jigisha Makwana

Image
બજેટસત્રનો અપૂરતી વ્યવસ્થા કારણે પત્રકારોએ કર્યો બહિષ્કાર ગુજરાતમાં આજે નવી ચૂંટાઇને રૂપાણી સરકારનું પહેલું બજેટ છે. પણ બજેટ પહેલા જ રૂપાણી સરકારની મુશ્કેલીઓ વધી ગઇ. ગુજરાત વિધાનસભામાં આજે વર્ષ 2018-19નું અંદાજપત્ર રજૂ થવાનું હતું. નાયબ મુખ્યમંત્રી અને નાણાંમંત્રી તેવા નીતિન પટેલ દ્વારા બપોરે 1 વાગે વિધાનસભા ગૃહમાં આ બજેટ રજૂ થાય તે પહેલા જ ગૃહમાં બજેટ માટે અવ્યવસ્થાના પગલે પત્રકારોએ આ વાતનો વિરોધ કર્યો હતો. અને હવે પત્રકારો દ્વારા બજેટનો બહિષ્કાર પણ કરવામાં આવ્યો છે. અપૂરતી વ્યવસ્થા મુદ્દે પત્રકારોએ બહિષ્કાર કરતા વિપક્ષ દ્વારા પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે બજેટ પહેલાની પ્રશ્નોત્તરીકાળમાં પત્રકારોને પ્રશ્નોત્તરી ન મળતા તેમણે બજેટના કવરેજનો વિરોધ કર્યો છે. જો કે આ મામલે વિજય રૂપાાણીના મંત્રી કૌશિક પટેલ પત્રકારોને સમજાવવા પ્રયાસ કર્યા હતા. પણ તેમ છતાં પત્રકારોએ તેમનો વિરોધ ચાલુ રાખી બજેટના બહિષ્કારની વાત ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે જીએસટી પછી પહેલી વાર ગુજરાતમાં બજેટ રજૂ થઇ રહ્યું છે. અને વધુમાં 2019ની લોકસભાની ચૂંટણીને જોતા આ બજેટ મહત્વનું માનવામાં આવે છે. ...

News by Jigisha Makwana

Image
ઘરમાં સુઈ રહેલા બીજેપી નેતાની ગોળી મારી હત્યા કરવામાં આવી રોજબરોજ બિહારમાં અપરાધીઓનું મનોબળ વધી રહ્યું છે. હાલમાં લેટેસ્ટ મામલો બિહારના ભાગલપૂર જિલ્લાનો છે જ્યાં પોતાના પરિવાર સાથે સુઈ રહેલા બીજેપી નેતાની અંધાધુન ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી છે. હત્યા કરીને અપરાધીઓ સરળતાથી ત્યાંથી નાસી ગયા હતા. મામલાની જાણકારી મળતા જ પોલીસ ઘટના જગ્યા પર પહોંચી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર આખો મામલો ભાગલપુર જિલ્લાનો છે. જ્યાં ઘરમાં સુઈ રહેલા ભાજપ નેતા મનોજ મંડલ ની અપરાધીઓ ઘ્વારા ગોળી મારીને હત્યા કરી છે. ઘટનાને મોડી રાત્રે જ અંજામ આપી દેવામાં આવ્યો હતો. પરંતુ હત્યાની જાણ સવારે થયી જયારે તેની માતા તેને ઉઠાડવા માટે પહોંચી. પોતાના દીકરાની લોહીથી ખરડાયેલી લાશ જોઈને માતા જોરજોર થી ચીસો પાડવા લાગી. ત્યારપછી આજુબાજુના લોકો પણ આવી ગયા. ત્યારપછી તેની જાણકારી પોલીસને આપવામાં આવી પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. મળતી માહિતી અનુસાર મનોજ મંડલ રાત્રે જમવાનું જમીને પોતાના રૂમમાં સુવા માટે જતા રહ્યા. બાજુમાં જનરેટર ચાલવાને કારણે ગોળીના અવાઝ વિશે ખબર ...

News by Jigisha Makwana

Image
ચોંકાવનારો અહેવાલ, 54 વર્ષના ડેમ નિર્માણના ઈતિહાસમાં નર્મદા ડેમની સપાટી પહેલીવાર ડેડ સ્ટોરેજે પહોંચશે શિયાળાની વિદાય સાથે હજી ગરમીએ એન્ટ્રી સાથે 34 ડીગ્રી તાપમાન વચ્ચે પોતાની આછેરી ઝલક જ બતાવી છે ત્યાં 54 વર્ષના ડેમ નિર્માણના ઈતિહાસમાં 88 મીટરથી લઈ આજે 138.68 મીટરે પહોંચેલા સરદાર સરોવર નર્મદા ડેમમાં હવે પાણીનો જીવંત જથ્થો માત્ર એક જ ટકા બચ્યો હોવાનું ગુરૃવારે સેન્ટ્રલ વોટર કમિશનને દેશના 91 મુખ્ય જળાશયોની રહેલી સ્થિતિ સાથે નર્મદા ડેમના આંકડા પ્રસિધ્ધ કર્યા છે. ગુજરાતમાં પાણીની કટોકટી ન સર્જાય તે માટે ડેડસ્ટોરેજ 110.64 મીટર બાદ પણ 88 મીટર સુધી ડેમના જળનો ઉપયોગ કરવા અનુમતિ અપાઈ છે. અત્યાર સુધીમાં નર્મદા ડેમના ઈતિહાસમાં પ્રથમ વખત ફેબ્રુઆરી મહિનામાં સરદાર સરોવરમાં જળસ્તર ચિંતાજનક સ્તરે પહોંચ્યા છે. ગુજરાતની જીવાદોરી ગણાતો નર્મદા ડેમ આજે પોતે જ પાણી માટે તરસી રહ્યો છે. ડેમમાં હાલ પાણીનો જીવંત જથ્થો માત્ર એક ટકા જ બાકી રહ્યો છે. સેન્ટ્રલ વોટર કમિશને ગુરૃવારે દેશના 91 જળાશયો સાથે ગુજરાતના 10 મુખ્ય જળાશયોની સ્થિતિના આંકડા રજુ કર્યા છે જેમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં જીવંત જથ્થો માત્ર...

News by Jigisha Makwana

Image
ભારતના 14 વર્ષના વિદ્યાર્થીનું ગુગલે કર્યું સન્માન નોઈડામાં રહેતાં 14 વર્ષના વિદ્યાર્થીએ ખાસ પ્રકારના એપનો વિકાસ કર્યો છે. આને કારણે ગુગલે તેનું સન્માન પણ કર્યું છે. સ્કૂલમાં અભ્યાસ કરતાં મૃગાંક પાવાગી નામના વિદ્યાર્થીએ વેબમી નામે એન્ડ્રાઈડ એપનો વિકાસ કર્યો છે. આ એપ ગેમ મારફતે ઈન્ટરનેટને સુરક્ષિત બનાવવાની જાણકારી પૂરી પાડે છે. ગુગલને આ વિદ્યાર્થીની શોધ ખુબ જ ગમી ગઈ છે અને તેનું સન્માન કર્યું છે. છઠ્ઠી ફેબ્રુઆરીએ વેબમી માટે ગુગલ ઈન્ડિયાના ગુગલ વેબ રેન્જર્સની ત્રીજી આવૃતિમાં મૃગાંકને વિજેતા જાહેર કર્યો હતો. ગુગલ વેબ રેન્જર્સ નામ સાથે દર વર્ષે કાર્યક્રમનું આયોજન કરે છે. આ સ્પર્ધાનો આશય ઈન્ટરનેટ સેફટી સાથે સંકળાયેલા ઈનોવેશન અથવા પ્રોજેક્ટ માટે પ્રોત્સાહન પૂરું પાડવાનું છે. આ માટે પાંચ હજાર જેટલી એન્ટ્રી મળી હતી, પરંતુ ત્રણ વિજેતાના નામમાં મૃગાંકનો પણ સમાવેશ થતો હતો. વિજેતાઓને ગુગલ ઈન્ડિયાએ ટેબલેટ અને પ્રમાણપત્ર આપ્યા હતાં. Jigisha Makwana

News by Jigisha Makwana

Image
એનસીબી એ એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને એક કરોડ ના ચરસ સાથે ઝડપી લીધા અમદાવાદ નાર્કોટિક્સ બ્યુરો દ્વારા ગુરુવારે અમદાવાદના રિલીફ રોડ પરથી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરીને રૂપિયા 1 કરોડની કિંમતનો ચરસનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જેમાં એક મહિલા ની ધરપકડ કરી છે. જેમાં આ મહિલા મુંબઇથી ખાસ ચરસનો જથ્થો સપ્લાય કરવા માટે આવી હતી એનસીબીએ અન્ય બે વ્યકિતઓમાં બે અમદાવાદના છે. જે અમદાવાદમાં હોલસેલમાં ડ્રગ સપ્લાય કરતા હતા. એનસીબીના ઓફિસર ના જણાવ્યા મુજબ 38 વર્ષની તબબસુમ મુમતાઝ મૂળ કલ્યાણ માં રહે છે અને તે છેલ્લા 3 વર્ષથી મુંબઈથી અમદાવાદ ખાસ ચરસ આપવા આવતી હતી. જે માટે તેને એક ટ્રીપ દીઠ 10 થી 15 હજાર રૂપિયા મળતા હતા. આ ચરસનો જથ્થો ખાસ કાશ્મીરથી આવતો હતો. જયારે 2 વ્યક્તિઓ અમદાવાદમાં લોકલ બજારમાં આ જથ્થો આપતા હતા અને એક કિલોએ 40 થી 50 હજારનો નફો કરતા હતા. જોકે આ મહિલા ને ખબર નથી કે કાશ્મીરનો મુખ્ય સપ્લાયર કોણ છે. એનસીબી ના ઝોનલ ડિરેક્ટર હરિઓમ ગાંધી કહે છે કે આ મહિલા પ્રથમ વાર ઝડપાઇ છે. જે ખાસ બસમાં આવતી હતી જેથી તે ના વિષે માહિતી મળવી અઘરી હતી. નોંધનીય છે કે આ પહેલા પણ ગુજરાત...

News By Jigisha

Image
અમેરિકાઃ ફ્લોરિડાની સ્કૂલમાં પૂર્વ વિદ્યાર્થીએ કર્યો ગોળીબાર, 17ના મોત અમેરિકાના ફઅલોરિડાની હાઇસ્કૂલમાં ગોળીબારીની ઘટનામાં 17 લોકોના મોત થયા છે. 19 વર્ષીય બંધૂકધારી પૂર્વ વિદ્યાર્થીએ આ ખૂની ખેલ ખેલ્યો હોવાનું માનવમાં આવી રહ્યું છે. આ વિદ્યાર્થીને સ્કૂલ તંત્ર દ્વારા હાંકી કાઢવામાં આવ્યો હતો. આ ઘટના ભારતીય સમય અનુસાર બુધવારની મોડી રાત્રે થઇ હતી. સ્થાનિક પોલીસે આ પૂર્વ વિદ્યાર્થીને પકડી પાડ્યો છે. મળતી માહિતી પ્રમાણે મિયામીની આશરે 72 કિલોમીટર ઉત્તરમાં પાર્કલેન્ડમાં મારર્જરી સ્ટોનમેન ડગલસ હાઇસ્કૂલમાં ક્લાસ પૂરી થાય તે પહેલાજ હિંસાની શરૂઆત થઇ હતી. બ્રોવર્ડ કાઉંટીના શેરિફ સ્કોટ ઇજરાયલના જણાવ્યા અનુસાર બંધૂકધારીની ઓળખ નિકોલસ ક્રૂઝના રૂપમાં થઇ છે જે પહેલા આ જ સ્કૂલનો વિદ્યાર્થ રહી ચૂક્યો છે. ક્રૂઝને અનુશાસનહીનતા માટે સ્કૂલમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ ઘટના પર ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું છે કે મેં ગવર્નર રિક સ્કોટ સાથે વાત કરી છે. એજન્સીઓ સાથે મળીને સંપૂર્ણ તત્પરતાની સાથે કામ કરીશું. ઘટનામાં માર્યા ગયા લોકો અને પરિવાર સાથ...

Gujarati News

Image
ભારત વિરુદ્ધ અમેરિકી હથિયારનો ઉપયોગ કરી રહ્યું છે પાકિસ્તાન અમેરિકા ઘ્વારા જે હથિયાર તાલિબાન જેવા આતંકી સંગઠનો સામે ઉપયોગ કરવા માટે પાકિસ્તાનને આપ્યા હતા. તેનો ઉપયોગ પાકિસ્તાન ભારત સામે કરી રહ્યું છે. હાલમાં જ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં ભારત ઘ્વારા પાકિસ્તાનને જે સબૂત આપવામાં આવ્યા છે તેમાં US TOW-2A એન્ટી ટેન્ક મિસાઈલનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. આ એક અમેરિકી હથિયાર છે જેનો ઉપયોગ પાકિસ્તાનને તેના દેશમાં ચાલી રહેલા આતંકી સંગઠનો સામે ઉપયોગ કરવા માટે આપવામાં આવ્યા છે. છેલ્લા લગભગ 6 અઠવાડિયાથી ભારત અને પાકિસ્તાન સીમા વચ્ચે એક યુદ્ધ છેડાઈ ગયું છે. ભારતીય સેનાને કાશ્મીર ઘાટીમાં છુપાયેલા આતંકીઓ અને સીમા પર પાકિસ્તાન સેના સામે લડાઈ લડવી પડી રહી છે. આ વખતે સીઝ ફાયર ઉલ્લંઘનમાં જ ભારતીય સેનાના 10 જવાન શહીદ થઇ ચુક્યા છે. આ વખતે ભારતીય સેના વિરુદ્ધ પાકિસ્તાન જે હથિયાર નો ઉપયોગ કરી રહ્યું છે તે અમેરિકા ઘ્વારા તેમને વર્ષ 2007 માં તાલિબાન વિરુદ્ધ સેલ્ફ ડિફેન્સ માટે આપવામાં આવ્યા હતા. પાકિસ્તાન જે એન્ટી ટેન્ક મિસાઈલનો ઉપયોગ કરી રહ્યું છે તે ત્રણ થી ચાર કિલોમીટર દૂરથી જ ભારતીય છ...

Gujarati News

Image
સુરત: પ્રેમીએ પ્રેમિકાને રસ્તામાં આંતરી બાળકનું કર્યુ અપહરણ વેલેન્ટાઈન ડે ના બે દિવસ પહેલા સ્કૂલની પ્રેમિકાને લેવા આવેલા પ્રેમીએ પ્રેમિકાના બાળકનું જ અપહરણ કરી લીધુ હતું. સુરતનાં પુણા-ડુંભાલ વિસ્તારમાં રહેતા દોઢ વર્ષીય બાળકના અપહરણ ની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. દોઢ વર્ષિય બાળક હર્ષિતનું અપહરણની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૂળ રાજસ્થાનના પૂર્વ પ્રેમીએ સુરત આવી બાળકનું અપહરણ કર્યું હોવાનું બહાર આવ્યુ હતું. સુરત શહેર અને સુરત રૂરલ પોલીસના કુલ 90 જેટલા કર્મચારી આ ઓપરેશનમાં જોડાયા હતા અને છેવટે બારડોલી કડોદરા રોડ ઉપરથી અપહરણકર્તા પ્રેમીની ધરપકડ કરવામાં આવી હતી. અને પોલીસે બાળક હર્ષિતને અપહરણકર્તા પાસેથી છોડાવ્યો હતો અને પરિવારને સુપરત કરવામાં આવતા પરિવારે રાહત નો શ્વાસ લીધો હતો. પ્રેમી રોશન શાળાના સમયથી વંદનાંના પ્રેમમાં હતો અને છેલ્લા કેટલાક દિવસોથી આ બાબતે પરિવારને પણ જાન થઈ હતી, પરિણીતા નર્સરીમાં અભ્યાસ કરતા હર્ષિતને તેડવા ગયી હતી ત્યારે રસ્તામાં આતંરી બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. સવારે બનેલી આ ઘટનામાં બાળકન...